માં મોગલએ યુવકને આપ્યો એવો પરચો કે જેને જાણીને તમને પણ બોલી ઉઠશો કે ‘જય માં મોગલ’

ધર્મ

માતા મોગલ ની માનતા રાખનાર ફક્ત આજ સુધી નિરાશ થયો નથી. કારણ કે માતા મોગલ દરેક ભક્તની માનતા પૂરી કરે છે. કાર્ય ગમે એટલું અઘરું હોય જ્યારે માતા મોગલ ને ભક્ત યાદ કરે છે ત્યારે તે કામ તુરંત જ પૂરું થઈ જાય છે. મોટી સંખ્યામાં ભક્તો કબરાઉ ખાતે માતાના દર્શન કરવા પહોંચતા હોય છે.

માતા મોગલ માં આસ્થા રાખનાર ભક્તો ક્યારે દુઃખી રહેતો નથી. માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો કબરાઉ ખાતે આવે છે. આજે તમને આવા જ એક ચમત્કાર વિશે જણાવીએ જેના વિશે જાણીને તમને પણ માતા મોગલ પ્રત્યે આસ્થા બંધાઈ જશે.

એક યુવક જેનું જમીન સંબંધિત કામ ઘણા વર્ષોથી અટકેલું હતું તેણે તે કામ પૂરું થાય તે માટે માતા મોગલ ની માનતા રાખી હતી. અનેક પ્રયત્નો છતાં જે કામ પૂરું ન થયું તે માતા મોગલ ની માનતા રાખ્યા ના થોડા જ દિવસોમાં પાર પડ્યું. યુવકનું કામ થઈ જતા તે કબરાઉ માતાજીના દર્શન કરવા આવ્યો અને સાથે દોઢ લાખ રૂપિયા લાવ્યો.

તે મણીધર બાપુને મળ્યો અને કહ્યું કે માતાજીના ચરણોમાં તે દોઢ લાખ રૂપિયા અર્પણ કરવા માંગે છે. ત્યારે મણીધર બાપુએ તે રકમની ઉપર એક રૂપિયા મૂકીને યુવકને ફરીથી આપી દીધા. મણીધર બાપુએ જણાવ્યું કે માતાજીને દાન કે ભેટ ની જરૂર નથી માતાજી ભક્તોની ભક્તિના ભૂખ્યા છે તેમના ઉપર શ્રદ્ધા રાખવાથી તેનું કામ પાર પડ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *