પોલીસે બનાવ અંગે યુવકના પરિવારજનોને જાણ કરી હત્યા શા માટે થઇ અને હત્યા કોણે કરી તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા
ગોંડલ શહેરના મોવિયા રોડ ખાતે ફૂલવાડી કોમ્પ્લેક્ષ નજીક પરોઢિયે યુવાનની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. લોખંડના પાઇપ અને પથ્થરના ઘા મારી હત્યા કરાયેલ હાલતમાં કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામના યુવાનની લાશ મળી આવતાં પોલીસે દોડી જઈ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા
નોનવેજની હોટલ નજીક લાશ મળી
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોવિયા રોડ પર બ્લ્યુ સ્ટાર નોનવેજની હોટલ નજીક ધુળેટીની પરોઢિયે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની સિટી પી.આઈ સંગાડા તેમજ એલસીબી પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી તપાસના ચક્રોગતિમાન કરી યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી.
આ દરમિયાન પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, હત્યા કરાયેલ યુવાન કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામનો રમેશભાઈ નરસિંહભાઈ જાદવ છે પોલીસે બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ કરી હત્યા શા માટે થઇ અને હત્યા કોણે કરી તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.
આસપાસના વિસ્તારના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા હતા ઘણા લોકોની અવર-જવર પણ તેમાં દેખાઈ આવી રહી છે ખાસ કરીને બનાવ વહેલી સવારે બન્યો હોવાનું પોલીસે તારણ કાઢી રહી છે યુવાનના મૃતદેહને પાસે લોખંડનો પાઈપ તેમજ લોહિયાળ પથ્થર પણ મળી આવ્યો હોય પોલીસે તે પણ કબજે કરી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!