કળિયુગમાં પણ માતા મોગલના સાક્ષાત્કારનો અનુભવ તેમના ભક્તો કરતા હોય છે.. માતા મોગલ નું શ્રદ્ધાપૂર્વક નામ લેવાથી પણ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. આવો અનુભવ એક કે બે લોકોને નહીં પરંતુ અનેક ભક્તોને થઈ ચૂક્યો છે. માતા મોગલ નું અસ્તિત્વ આજે પણ છે તે વાત ભક્તો પણ સ્વીકારે છે.
ખાસ કરીને ગુજરાતમાં આવેલા માતા મોગલ ના ત્રણ મંદિરો ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. આ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરતા આવે છે.
આવું જ એક ચમત્કારિક મંદિર છે કચ્છમાં આવેલું કબરાઉ ધામ. અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા તુરંત જ માતાના દર્શન કરવા દોડી આવે છે.
કબરાઉ ધામ ખાતે માતા મોગલ સાક્ષાત બિરાજે છે. તેમના અસ્તિત્વનો અનુભવ અત્યાર સુધીમાં અનેક ભક્તોને થયો છે અને માતાજી એ ઘણા પરચા પણ દેખાડ્યા છે. આવો જ પરચો તાજેતરમાં રાજકોટના વિપુલભાઈને મળ્યો હતો. વિપુલભાઈ ની સમસ્યા દૂર થઈ જતા તેમાં તો મોગલના દર્શન કરવા પહોંચ્યા હતા.
કબરાઉ ધામ ખાતે આવીને વિપુલભાઈએ મણીધર બાપુને 25000 રૂપિયા આપ્યા. સાથે જ કહ્યું કે તેમની માનતા પૂરી થતાં તે આ રૂપિયા આપી રહ્યા છે.
પરંતુ મણીધર બાપુએ તેમને આ 25,000 પરત આપ્યા અને કહ્યું કે માતાએ તેની મમતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને સમાન રીતે આપી દે. માતા મોગલ ને પૈસા ની જરૂર નથી.
આ રીતે માતા મોગલ એ અત્યાર સુધીમાં અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે. કબરાઉ ધામ ખાતે આવનાર ભક્તના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે અને ખુશીઓ થી જીવન છલકાઈ જાય છે.
માતા મોગલ ના દર્શન કરવા માટે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. અહીં માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો ધન્યતા અનુભવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો