સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.10 હજાર પડાવી બીજા રૂ.50 હજારની માંગણી કરનાર બે મહિલા સહિતની ટોળકીની સિંગણપોર-ડભોલી પોલીસે ધરપકડ કરી છે. આખી ટોળકીને જેલ ભેગી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગર ગારીયાધારના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 46 વર્ષીય યુવાન વરાછા મીનીબજારમાં ફરસાણની દુકાન ધરાવે છે. પખવાડીયા અગાઉ એક મોબાઈલ નંબર ઉપરથી તેમને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. તેમણે સામે કોણ છે એવુ પૂછ્યું તો તેણે પોતાનું નામ ખુશ્બુ કહ્યું હતું. યુવાને તેને ઓળખતા ન હોય વાત કરવાની ના પાડી હતી. જોકે, ખુશ્બૂએ કહ્યું હતું કે હું તમને ઓળખુ છું. ખુશ્બુએ ત્યાર બાદ રોજ મેસેજ કરી વોટ્સએપ કોલીંગથી વાત કરવા માંડી હતી.
ગત બપોરે ખુશ્બુએ યુવાનને વોટ્સએપ કોલ કર્યો તો તેણે ‘આવો ત્યારે નાસ્તો લેતા આવજો’ તેમ કહ્યું હતું. આગલા દિવસે પણ ખુશ્બૂએ મેસેજ કરી નાસ્તો લઈ મળવા બોલાવ્યા હતા. ત્યારે વેપારીએ મજાક કરી હતી કે તમે ઘરે રસોઈ બનાવતા નથી. આથી ખુશ્બૂએ કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે આવી છું. ત્યાર બાદ ખુશ્બૂએ વોઈસ મેસેજ કરી ફરી નાસ્તો લઈને આવવા કહેતા યુવાન ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે ખૂશ્બુના કહ્યા મુજબ ડભોલી રોડ શાક માર્કેટ મનિષ નગર પહોંચ્યા હતા.
ત્યાં ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઉભી હતી. વેપારી ત્યાં પહેલા માળે જતા તે મહિલા ફ્લેટનો દરવાજો ખોલી અંદર લઈ ગઈ હતી. તો ત્યાં બે મહિલા હાજર હતી. તમામ સોફા પર બેસ્યા હતા ત્યારે મહિલાએ બીજા રૂમમાં જવા કહેતા વેપારીએ ઇન્કાર કર્યો હતો. જ્યાં ખુશ્બુએ ‘કંઈ નહીં થાય ચાલો’ તેમ કહી વેપારીના ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમા લઈ ગઈ હતી.
ત્યાં પાથરેલા ગાદલા પર બેસાડી ખુશ્બૂએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ કહી વેપારીના ગુપ્ત ભાગે તેમજ શારીરીક અડપલા કરવા લાગ્યા હતા. તે સમયે જ રૂમનો દરવાજો ખોલી અચાનક બે જણા અંદર આવ્યા હતા અને તે પૈકી એકે આ મારી પત્ની છે, મને શક હતો કે હું હીરાની નોકરી કરવા જાઉં ત્યારે આવું કામ કરે છે. થોડીવાર બાદ અન્ય બે વ્યક્તિ આવ્યા હતા અને એકે પોતાની ઓળખ જયશ્રીના ભાઈ તરીકે આપી બાદમાં તમામે વેપારીને માર માર્યો હતો.
( આ પણ ખાસ વાંચો )
સમગ્ર કૌભાંડ બાદ સમાધાન નહીં કરો તો બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી વેપારી પાસેથી રૂ.10 હજાર પડાવી લીધા હતા. ત્યાર બાદ રૂપિયા 50 હજારની માંગણી કરતા વેપારીએ મિત્રને બોલાવી તેમને સમજાવી બહાર જઈ પૈસાની વ્યવસ્થા કરીશું કહી છટકીને સિંગણપોર પોલીસ મથકમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે આ ગુનામાં જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી છે. તેમણે અગાઉ પણ આવી રીતે પૈસા પડાવ્યા હોવાની પોલીસને આશંકાએ તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી તેવુ એસીપી આરઆર આહીરે જણાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!