દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આવતા વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતના સપના જોઈ રહ્યા છે. તે દરમિયાન કેજરીવાલે પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની પર કટાક્ષ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે પંજાબના CM ચન્ની પર કટાક્ષ કર્યો : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતનું સપનું જોઈ રહ્યા છે. તે રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર હુમલો કરનાર છે. તેમણે ગુરુવારે સીએમ ચન્ની પર કટાક્ષ કર્યો હતો. સીએમ કેજરીવાલે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની દુનિયાના ઈતિહાસમાં પહેલા એવા મુખ્યમંત્રી હશે જે બાથરૂમમાં પણ લોકોને મળે છે.
કેજરીવાલે કહ્યું કે, ઈતિહાસમાં પહેલા મુખ્યમંત્રી હશે જે બાથરૂમમાં પણ લોકોને મળે છે : અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું ટીવીમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીનો ઈન્ટરવ્યુ જોઈ રહ્યો હતો. જ્યાં તેઓ એવું કહેતા હતા કે, હું 24 કલાક લોકોને મળું છું. હું ડ્રોઈંગ રૂમ, હોલ, બાથરૂમમાં લોકોને મળું છું. મને લાગે છે કે તે વિશ્વના ઈતિહાસમાં પહેલા એવા સીએમ છે જે બાથરૂમમાં લોકોને મળે છે. કેજરીવાલે પંજાબમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આ વાત કહી. અરવિંદ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકારને ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌથી વધુ નાટકીય અને ખેલ કરનાર ગણાવી હતી.
#WATCH | Punjab CM Charanjit Singh Channi in the interview says that I meet people 24 hours. I meet people in the drawing-room, hall, bathroom. I think he is the first CM in the history of the world who meet people in the bathroom: Delhi CM Arvind Kejriwal in Muktsar, Punjab pic.twitter.com/UZ5a6Zq4zA
— ANI (@ANI) December 16, 2021
કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ સર્કસ બની ગઈ છે : કેજરીવાલે દાવો કર્યો કે નવજોત સિંહ સિદ્ધુના ચન્ની સાથે સારા સંબંધો નથી. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ એકબીજાની વચ્ચે લડી રહ્યા છે. વર્તમાન કોંગ્રેસ સરકાર પંજાબના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર છે. ચન્ની પર સીધો પ્રહાર કરતા કેજરીવાલે દાવો કર્યો કે રેતી માફિયા પંજાબના મુખ્યમંત્રીના નાક નીચે કામ કરી રહ્યા છે અને તેમને પણ પૈસા મળશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે કોંગ્રેસના દરેક ધારાસભ્ય તેમના સરકારના અંતિમ દિવસોમાં બને તેટલું લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેજરીવાલે પંજાબમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આ વાત કહી. અરવિંદ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકારને ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌથી વધુ નાટકીય અને ખેલ કરનાર ગણાવી હતી. સીએમ કેજરીવાલે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની દુનિયાના ઈતિહાસમાં પહેલા એવા મુખ્યમંત્રી હશે જે બાથરૂમમાં પણ લોકોને મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!