ગુરુવાર, 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ અને રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષા બંધનના દિવસે આખો દિવસ ભદ્રાનો સાયો રહેવાનો છે. શનિદેવની બહેન ભદ્રાના સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય તો તે સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં.
આ વખતે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 વાગ્યાથી શરૂ થશે. પૂનમ બીજા દિવસે એટલે 12 ઓગસ્ટના રોજ સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. તે પછી શ્રાવણનો વદ પક્ષ શરૂ થઈ જશે. પંચાંગ ભેદના કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઉજવાશે.
સૂર્યોદયથી પૂનમ તિથિ ત્રણ મુહૂર્તથી પણ ઓછા સમય સુધી રહેશે. એટલે રક્ષાબંધન પર્વ 11 ઓગસ્ટના રોજ વધારે શુભ રહેશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે. ભદ્રા રાતે 8.30 વાગ્યા સુધી રહેશે. તે પછી જ રાખડી બાંધવી જોઈએ. આ દિવસે રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોખડિયું રહેશે.
આ સમયે રાખડી બાંધવી વધારે શુભ રહેશે. પં. શર્માના જણાવ્યા પ્રમાણે ભદ્રાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. થોડા વિદ્વાનો પ્રમાણે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતા નથી.
શુભ કાર્ય જેમ કે, લગ્ન, મૂંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી-દેવતાઓની પૂજા કરો. પિતૃઓનું તર્પણ કરો. આ દિવસે રાતે 8.30 વાગ્યા પછી રેશમના કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખી શકો છો.
આ વસ્તુઓની પોટલી બનાવો. ભાઇના માથા ઉપર તિલક લગાવો અને કાંડા ઉપર રેશમી કે સૂતરના દોરા સાથે આ પોટલી બાંદી દો. રાખડી બાંધતી વખતે ભગવાન પાસે ભાઇને બધી જ પરેશાનીથી બચાવવાની પ્રાર્થના કરો.
રક્ષા બંધનના દિવસે ગુરુ મીન રાશિમાં વક્રી રહેશે. ચંદ્ર શનિ સાથે મકર રાશિમાં રહેશે. આ ગ્રહોની યુતિથી વિષ યોગ બને છે. ગુરુની દૃષ્ટિ સૂર્ય ઉપર રહેશે, સૂર્યની શનિ ઉપર તથા શનિની ગુરુ ઉપર દૃષ્ટિ રહેશે. ગ્રહોના આ યોગમાં આપણે વધારે સાવધાની રાખવી જોઈએ. નાની બેદરકારી પણ નુકસાન કરાવી શકે છે.
પૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોને નવા કપડાં, બૂટ-ચપ્પલ, છત્રીનું દાન કરવું જોઈએ. મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે દાન કરો. સવારે સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરો. હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો, હનુમાન ચાલીસા, સુંદરકાંડ કે હનુમાનજીના મંત્રનો જાપ કરો. શિવજીનો જળ અને દૂધથી અભિષેક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!