ઘોઘંબાના કંકોડાકોઈ ગામમાં સોલંકી પરિવારની દીકરી વંદનાબા કુંવરબાના લગ્ન લેવાયા હતા. વંદનાબા કુંવરબા અને દેવેન્દ્રસિંહજીની લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ સપ્તપદીના ફેરા ફરવાના ગણતરીના કલાકો પહેલા દુઃખદ અવસાન થતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો.
વંદનાબા કુંવરબાના લગ્ન માટે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને રાસ ગરબાની વિધિ સંપન્ન થઈ હતી. વંદનાબા પણ પરિવારના સદસ્યો સાથે હોંશે હોંશે રાસ ગરબા ઘૂમી હતી. 23 જાન્યુઆરીએ બપોરે ત્રણ કલાકે હસ્તમેળાપ વિધિ હોવાથી પરિવાર મહેમાનોના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યા અચાનક વંદનાબાને ચક્કર આવતા તે ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી જ્યાં તબીબોએ લો બીપીને લઈ વંદનાબાને મૃત જાહેર કરી હતી.
પથ્થર દિલને પીગળાવી દે એવા હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ઉઠ્યું હતું. બીજી તરફ નવજીવનમાં ડગ માંડવા માટે લગ્નોત્સુક વરરાજા અને સ્વજનો જાન લઈ આવવાની તૈયારીમાં હતા. આ દરમિયાન, તેમને પણ વંદના કુંવરબાનાં દુઃખદ અવસાનનાં સમાચાર મળતા જ તેઓ પણ શોકમગ્ન બની ગયા હતા.
આખરે વંદના કુંવરબાનાં લગ્ન માટે થયેલી તૈયારીઓ અને વાગી રહેલા શરણાઈના સુરનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જે ઘર આંગણેથી ડોલી ઉઠવાની તૈયારીઓ હતી એ જ ઘરમાં નવ દંપતી પ્રભુતામાં ડગ માંડતી વેળાએ જે પુષ્પ અને ફૂલ હાર વંદનાના મૃતદેહ માટે સીમિત બની ગયા. આખરે વંદનાના પિતા-ભાઈ સહિતે ભારે હૈયે વંદનાની અર્થીને કાંધ આપી હતી. આ દરમિયાન આખું ગામ હીબકે ચડી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!