હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસની ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. શ્રાવણનો પાવન મહીનો શરૂ થઈ ચૂક્યો છે ત્યાં તો ભક્તો ની ભીડ ભગવાન શંકરના મંદિરો માં ઉમટી પડી છે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર પડવાના છે. શ્રાવણ માસના સોમવારના દિવસે તો ભગવાન શંકર ના મંદિરમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.
ગુજરાત માં ઘણા બધા ભગવાન શંકર ના મંદિરો આવેલા છે અને દરેક નું એક અલગ જ સ્થાન છે. આજે અમે તમને ભગવાન શંકર ના એક એવા જ મંદિર વિશે વાત કરીશું. અરબી સમુદ્રના તટે આવેલા સંઘ પ્રદેશ દિવના કુદમ ગામ પાસે પાંચ પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ એટલે કે ભગવાન શંકર નું પ્રસિદ્ધ ગંગેશ્વર મંદિર આવેલું છે.
એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા પાંડવો એ અહીંયા 5 શિવલિંગ ની સ્થાપના કરી હતી. પાંડવો એ સ્થાપના કરેલા શિવલિંગ ની સમુન્દ્ર દેવ રોજ જળાભિષેક કરે છે. લોકવાયકાઓ અનુસાર ભગવાન શંકર નું આ મંદિર 5000 વર્ષ જૂનું છે. સમુન્દ્ર દેવ રોજ આ 5 શિવલિંગ નો જળાભિષેક કરતા હોવાથી મંદિરનું નામ ગંગેશ્વર પ્રચલિત થયું છે.
પૌરાણિક કથા અનુસાર પાંડવો જ્યારે અજ્ઞાત વાસ માં હતા ત્યારે દિવ પાસે કૂદમ ગામમાં આવ્યા હતા ત્યારે સાંજ પડી ગઈ હતી. પાંડવો હંમેશા ભોજન કરતા પહેલા ભગવાન શંકરની પૂજા કરતા હતા પણ તેમને નજીક માં કોઈ મંદિર ન મળતા તેમને જાતે જ પાંચ શિવલિંગન ઇ સ્થાપના કરી દીધી હતી. આખા વિશ્વમાં આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!